Popular Posts

Tuesday, December 12, 2006

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીવેદના કામ કરી જાય તો કહેવાય નહીઆંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહીધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહીએની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી...દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીઆંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી...કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને...દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહીઆંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે...ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહીશોક્નો માર્યો તો મરશે નહી તમારઓ આ "ઘાયલ"ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી

No comments: